History
सालगीरा :
ભાદરવા સુદ ૧
शिल्प
: ઘૂમ્મટબંધી
प्राचीनता :
* આ જિનાલય શ્રી હિરસાગર યતિના ઉપદેશથી બનેલું છે.
* સંવત ૧૯૦૩ ના મહા વદી પ ને ગુરૂવારે લીંબડી ગામના રહેવાસી સંઘ સમસ્તે વોરા દેવચંદના કલ્યાણ નિમિત્તે શ્રી શામળાજી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છિય ભટ્ટારક શ્રી ઠેવેન્દ્ર સૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી.
विशिष्टवा
: * ત્રણ ગભારાના આ જિનાલયમાં વચ્ચેના ગભારામાં મૂળનાયક શ્રી શામળાજી પાર્શ્વનાથ ભગવાનની સપરિકર પંચતીર્થી સાથેના કસોટીના શ્યામવર્ણના પ્રતિમાજી છે. બે કાઉસગ્ગિયા અને બેઠેલ પ્રતિમાજી સફેદ पाषाणना छे.
અન્ય પ્રતિમાજી :
* મૂળ ગભારામાં મૂળનાયક સહિત પાષાણની અને ઘાતુની અન્ય પ્રતિમાજી છે.
*
મૂળ ગભારામાં એક ઘાતુની ત્રિતીર્થી છે.
* મેડા ઉપર આવેલા ત્રણેય ગભારામાં પાષાણની અન્ય પ્રતિમાજીઓ છે.
* અચલગચ્છની કુળદેવીની પંચધાતુની પ્રતિમા મૂળગભારામાં આવેલ છે. જે જવલ્લેજ જોવા મળે છે.
કલા - સૌંદર્ય : *
શ્રી શામળાજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ચિતાકર્ષક અને प्रलावशानी छे.
* મેડા ઉપર કલાના નિખાર સમા પાષાણના બે મોટા હાથી જિનાલયનું આકર્ષણ વધારે છે.
* ધૂમ્મટની અંદર પેન્ટીંગ કરેલો શ્રી નંદીશ્વર દ્વિપ ખાસ જોવાલાયક છે.
વહિવટ
: * શ્રી અચલગચ્છના હસ્તક હતો જે હવે શ્રી સાગરગચ્છ હેઠળ છે.
દાદા તારી મુખ મુદ્રાને, અમિય નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મરત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો....